ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

દેડકાની વાત

              એકવાર દેડકાઓએ જંગલમાં ફરવા જવાનું વિચાર્યું. એટલે બધા દેડકાઓ ફરવા માટે નીકળી પડ્યા. મોજ થી ફરતા-ફરતા દેડકાઓની ટોળી જઈ રહી હતી. એટલામાં ચાર દેડકા એક મોટા ખાડામાં પડી ગયા, એટલે બધા જ દેડકાઓ ખાડાની ચારે બાજુ જોવા લાગ્યા. ચારે દેડકા ખાડા માંથી બહાર આવવા માટે કૂદકા માર્યા પરંતુ બહાર નીકળી શક્યા નહિ. એટલે તેઓ કૂદકા મારવાનું ચાલુજ રાખ્યું. ઉપર બેસેલે દેડકાઓ બૂમો પાડવા લાગ્યા ખાડો બહુ ઊંડો છે તમે નઈ કૂદી શકો. એટલે ત્રણ દેડકા તો એમની વાતથી કૂદવાનું બંધ કરી દીધું અને ચોથા નંબર નો દેડકો હજુ કૂદકા મારતો જ હતો. તેના પ્રયત્નોથી તે મોટો કૂદકો હોંશ થી મારતા બહાર આવી ગયો. અને બચી ગયો. ત્યાર બાદ બધા દેડકા વાત કરવા લાગ્યા કે પેલા ત્રણ દેડકા આપણી વાત સાંભળી કૂદવાનું બંધ કર્યું અને બહાર ન આવી શક્યા નહિ, પરંતુ ચોથો દેડકાએ કેમ કૂદવાનું ચાલુ રાખ્યું? ત્યારે છેલ્લે ખબર પડી કે દેડકો બહેરો હતો. તેથી તેણે તેઓની નકારાત્મક વાત ની તેની પર અસર થઈ નહિ.

બોધ: આમ લોકોની નકારાત્મક વાતોની અસર આપણા જીવન પડે છે, તેથી તેવા લોકોની વાતોથી દૂર રહેવું જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Spin Button સાથે List Spin Button સાથે List − + Item દેખાશે